Hymn No. 1013 | Date: 30-Sep-1987
|
|
Text Size |
 |
 |
વિરહની વેદના તો કંઈકને રાતભર જગાવે, ચિંતાઓ તો સદા કંઈકને રાતભર સતાવે, જલતી ઇર્ષ્યાની આગ તો ઊંઘ બહુ હટાવે, સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે, શબ્દના બાણ તો રાતભર બહુ સતાવે, નિરાશાની આગ રાતની ઊંઘ હરામ કરાવે, શરીરવેદના તો કંઈકને રાતભર જગાવે, સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે, વિચારોના વમળો તો રાતભર જગાવે, અપમાનોની યાદ તો રાતભર સતાવે, અસંતોષની જલતી આગ નીંદ રાતની હટાવે, સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે, જાગી જ્યાં ભૂખ પેટમાં, નીંદ એ તો હટાવે, કામ જાગી ગયો દિલમાં, નીંદ એ તો ભુલાવે, ભભૂક્તી હૈયે તો વેર જ્વાળા, નીંદને પણ એ જલાવે, સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે, સંતોષ હૈયે વસી સ્થાન જો ના જમાવે, બેકરાર દિલને તો ત્યાં કરાર ના આવે કૃપા `મા' ની ઉતરતા સહુ કાંઈ સીધું થાયે, સુખની નીંદર તો કોઈ વિરલાને જ આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|