છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે
ના રાહે શરમમાં કોઈની આવે, નજરમાં સાચી હકિકત તો રાખે
દુઃખદર્દની ચીસ સાંભળે ના સાંભળે, સાચા ભાવોને નજરમાં રાખે
જગમાં હૈયામાં ભરેલા વેરને જીવનમાં તો તું પ્રેમથી એને મારે
ભાવો ને ભાવોથી ભરેલું હૈયું ભરેલું રાખે, નિર્મોહીપણું તોય સાચવે
કર્મોની શિક્ષા ભલે તું આપે, સહુના હૈયા તો તું પ્રેમથી જીતે
યોગ્યતાને સદા કસોટીએ ચડાવી, વસ્ત્ર વિશુદ્ધતાના એને પહેરાવે
કર્મોના ભારે થાયે માનવ દુઃખી નામનું અમૃત એને તું પાયે
વર્તન બેહુદા જીવનમાં રાખે દુઃખો જીવનમાં એને સમજાવે
રાખ્યો ના ઇન્સાનને પુરુષાર્થથી ખાલી, કરે પુરુષાર્થ જીવનમાં પામે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)